Followers

પરિભાષા શું કરવી?

પરિભાષા શું કરવી? 

શબ્દો.. વર્ણન.. પૃથ્થકરણ બધું જાણે પરવશ લાગે..
પ્રેમમાં શ્રદ્ધા વિશ્વાશ મુખ્ય બળ છે. 🌹
મીરાં!.. એક અદ્ભૂત વ્યક્તિત્વ.. ભક્તિમાં કૃષ્ણ.. વિરહમાં કૃષ્ણ.. પ્રેમમાં સમર્પણ કૃષ્ણ.. ના પર્યાય ના વિચાર ના વિવાદ..ના ફરિયાદ.. માત્ર અણીશુદ્ધ પ્રેમ વિશ્વાશ..

શ્રદ્ધાની ચરમસીમાં હતી કે રાણાએ ઝેર ભરેલો કટોરો મોકલ્યો તો કાનાનું નામ સ્મરણ કરી મોંઢે માંડી દીધો..ના ડર ના પસ્તાવો.. પ્રેમશ્રદ્ધાનું બળ.. ક્યાં જોવો આવો પ્રેમ. કૃષ્ણ અંતર્યામી છે છતાં કણ કણમાં વસેલાં છે. મીરાં એની મૂરતમાં સમાઈ ગયાં.. પ્રેમભૂખની બધી સીમા પરીસીમાં તોડી નાંખી..પ્રેમ અમર કરી દીધો..

નરસિંહ મહેતા ભક્તિમાં તરબોળ શ્રદ્ધા વિશ્વાશથી કૃષ્ણની લગન.. કંઈ બીજું નહીં માત્ર કૃષ્ણનું રટણ, ભજન અને સ્મરણ..
કુંવરબાઈના મામેરા થયાં અને એક એક કામ ફળિભૂત થયાં.. મનમાં આંખમાં દિલ હૃદયમાં માત્ર એક મુરલીમનોહર કૃષ્ણ..
બન્ને મીરાં.. નરસિંહ.. માઁ રાધાની પ્રેમલક્ષણા ભક્તિ.. પ્રેમ.. પ્રેમ.. પ્રેમ..
પાત્ર અને પાત્રતાની પવિત્રતા ઘણી ઊંચી... રાધાએ કૃષ્ણનાં વિરહમાં એવાં તપ કર્યા.. ના અશ્રુ ટપક્યાં ના ધીરજ ખોઈ.. બસ પ્રેમમગ્ન દિલ હૃદય કાનાને પોકારતું રહ્યું..
કૃષ્ણ વૃદાવન છોડી મથુરા ગયાં... પાવનભૂમિ છોડી શહેર પાવન કર્યા.. પણ..
રાધાનાં વિયોગમાં મુરલી હોઠ પર ના લાવ્યા.. ના મોરલીના સૂર વહ્યાં ના રાધાને ભૂલી શક્યાં..
પ્રેમ અને શ્રદ્ધા એકમેકનાં પૂરક છે.. જ્યોત માટે વાટ અને ધીની જુગલબંધી છે. આ પ્રેમની જુગલબંધીથી ઝળહળતો પ્રકાશ પ્રજવલિત થાય છે.. નકારાત્મક ઉર્જા દૂર થઈ અજવાળા પથરાય છે..
આ પ્રેમ.. શ્રદ્ધા.. વિશ્વાશ.. અમર છે. અમરત્વ શ્રદ્ધાંથી અમર છે. 🌹🙏.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..

No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.