Followers

Showing posts with label PanchTatva Articles. Show all posts
Showing posts with label PanchTatva Articles. Show all posts

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...


 પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...

ભાગ:૩

વનસ્પતિ સાથે માનવ અને દરેક જીવ યેનકેન પ્રકારેણ..જોડાયેલા જ હોય છે. વનસ્પતિની રચના એની વૃત્તિ એની ક્રિયાઓ આપણને કંઈક સંદેશ અને બોધ આપી જાય છે....

આપણામાં કેટલીક કહેવતો છે જેનો સારાંશ બોધ છે. એમાંથી કેટલીક આપની સામે અર્થ સહિત રજૂ કરું ..

૧. પીપળ પાન ખરંતા હંસતી કૂંપળીયા..અમ વીતી તુઝ વીતશે ધીરી બાપુડિયા.

પીપળનાં ઝાડનાં પાકટ થયેલા જૂના પાન જ્યારે ખરે છે ત્યારે નવી ફૂટતી કૂંપળો હસે છે..કૂંપળોને એમની સ્થિતિ પર હસતી જોઈ ખરતાં પાન કહે છે..આજે અમે જીવન જીવી આખરે ખરી રહ્યાં છીએ કાલે તમારો વારો છે..બોધ એ છે કે...દરેકના જીવનનું ચક્ર છે આજે જે ખીલે છે કાલે કરમાવાનું છે જ. જન્મે છે એ અંતે મરે જ છે એજ શ્રુષ્ટિનો નિયમ છે.

૨. ઊંચો ઉભો તાડ જુઓ પણ..શું કામનો?

અર્થ એ છે કે તાડનું ઝાડ એટલું ઊંચું કે આભ આંબીને ઉભું..પણ એની નીચે કોઈ ઉભું ના રહે..છાંયો જ નથી કોણ વિશ્રામ કરે? એની એટલી ઊંચાઈ શું કામની? તમે ખૂબ પ્રગતિ કરો પણ કોઈને કામ ના આવો કોઈને મદદ ના કરો તો એ ઊંચાઈ પ્રગતિ શું કામની?.

૩. મીઠાં ઝાડનાં ફળ ખવાય...મૂળ નહીં... એનો એટલો સરસ ઊંડો તલસ્પર્શી અર્થ છે...

તમે વૃક્ષનાં મીઠાં રસીલા ફળ ખાવ..વૃક્ષને ખૂબ ગમશે..પણ તમે એજ વૃક્ષનાં મૂળને તમારાં સ્વાર્થે નુકશાન પહોંચાડો તો વૃક્ષનું જ નિકંદન નીકળી જાય. બોધ એ છે કે કોઈની મદદથી તમારું ભલું થાય તમારાં પર ઉપકાર કરી લાગણીથી મદદ થાય એનું જ તમે બૂરું કરો... બોલો..સ્વાર્થ સાંધી લીધાં પછી એનેજ નુકશાન કરો..એની ભલમનસાઈનો દુરુપયોગ કરો...ત્યારે આ કહેવત બોલાય છે..

આવી અનેક કહેવતો છે.

વૃક્ષ વનસ્પતિ એમનાં થકી કોઈને કોઈ સંદેશ આપે છે...

જુઓ જ્યારે વૃક્ષ પર ખૂબ ફળ બેસે ત્યારે આખું વૃક્ષ ડાળીઓ સાથે લચી પડે છે ઝૂકી જાય છે...એ સંદેશ મળે છે કે જ્યારે તમને ખૂબ સુખ સમૃદ્ધિ સફળતા મળે તમે વિનમ્ર બનો. છકી જવાની જગ્યાએ સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરો.....

વૃક્ષ છાંયો આપે છે ખૂબ ગરમી અને તેજ કિરણો પોતે ઓઢી લઈ આશરો લેનારને ઠંડક આપે, નિવાસ કરાવે, ફળ,ફૂલ, ઔષધ, લાકડા, ગુંદર, એમાંથી બનતાં દ્રવ્યો , રંગ રસાયણ, ઘર બનાવવાની સામગ્રી, મીઠાં રસ, ગુંદર, વળી પાણીનો જમીનમાં સંગ્રહ કરે. વૃક્ષો એટલું આપે છે જેનું માપ નથી. એટલું સમજાવે એટલું જ્ઞાન નથી..એટલેજ એમને સંત કીધાં છે..

વધુ આવતાં અંકમાં.

🌹🙏🌹

દક્ષેશ ઇનામદાર."દિલ"..

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...ભાગ :૨

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...




ભાગ :૨

જંગલથી થયું બધું મંગળ..વનસ્પતિનો વ્યાપ વાતાવરણ કરે શુદ્ધ અને શાંત. આપણે કે દરેક જીવોએ જીવવા લેવો પડતો પ્રાણવાયુ વનસ્પતિ પૂરો પાડે છે. વાતાવરણમાં રહેલો દૂષિત અને અંગારવાયુ શોષી લે છે..વિજ્ઞાનમાં ભણ્યા છીએ પણ...વાસ્તવિક અનુભવથી જાણવું સમજવું જરૂરી છે...
આ વ્યવસ્થા પંચતત્વએ ઉભી કરી..માનો દરેક જીવના પ્રાણ બચાવવા પ્રાણવાયુ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ઉભી કરી એક એવી વ્યવસ્થા કરી કે નિયમિત આ ચક્ર ચાલ્યા કરે અને જીવોનું સંવર્ધન અને નિભાવ થયા કરે..
આપણું જીવન વનસ્પતિથી પોષાય છે એમનાં થકી જ જીવીએ છીએ. વાતાવરણ શુદ્ધ રાખી આપણું દરેક રીતે પાલન કરે છે. આપણા જીવનને ગૂંગળામણ થાય એવો વાયુ શોષી આપણને તાજામાજા રાખે છે. 
સવારે ઉઠી ખુલ્લામાં જે તાજી હવા લઈ તાજગી અનુભવીએ છીએ એ વનસ્પતિનું યોગદાન છે...પણ આપણને એ વખતે એનો ખ્યાલ નથી આવતો. બસ જે મફત મળે એની આમ પણ કદર કિંમત નથી હોતી..જે આપણું સારું કરે ઉપયોગી બને એની ગણના નથી કરતાં .એ સ્વાર્થી માનવનો સ્વભાવ છે.
વનસ્પતિ આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથે ને સાથે જ હોય છે ક્યારેય સાથ નથી છોડતી.. આપણે એ વિચારવાનું છે. વનસ્પતિ સંત છે ઈશ્વરના કાર્યનો સેનાપતિ છે. જે શ્રુષ્ટિમાં જન્મ લે છે એ સર્વનું નિર્વહન કરી સંભાળ લે છે. માતાપિતાનું કામ કરે છે. પોષે છે પાળે છે શીખવે છે સદાય સાથ આપે છે.
પંચતત્વ સ્વરૂપ ઈશ્વરની ઈચ્છા અને આદેશ મુજબ કાર્ય કરે છે. તેઓ એક જગ્યા પર જીવનભર રહે છે પંચતત્વએ સર્જેલી બધી ઋતુઓને સહે છે માણે છે. તાપ, ટાઢ, વરસાદ ગમે તેટલો આવે વરસે એક ફરિયાદ વિના ચૂં કે ચા કર્યા વિના સ્થળાંતર વિના ત્યાંજ રહી સહે છે માણે છે. ઉનાળાના આકરા તાપ, શિયાળાની ખૂબ ઠંડી, મુશળધાર વરસાદ બધું સહે છે. એ પંચતત્વને સંપૂર્ણ માણે છે એટલેજ કાયમ નવપલ્લીત રહે છે.. વધું આગળના ભાગમાં જાણીશું..🌹🙏🌹

દક્ષેશ ઇનામદાર."દિલ"..

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...ભાગ : ૧

પંચતત્વની શ્રુષ્ટિ અને જીવન...

 

ભાગ:૧

પંચતત્વની બની આ શ્રુષ્ટિ તત્વનાં નિયમ પ્રમાણે જ ચાલે...એની શિસ્ત અને અનુશાશન પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી. હાં એ પરિવર્તનનો નિયમ પણ સાગમટે સાચવે જ છે. ક્યાં ક્યારે, કેમ શું થશે એનું અનુમાન કરવું અઘરું છે..ક્યારેક કરી શકાય ક્યારેક સાવ વિપરીત પરિણામ આપે છે.
તત્વનાં સત્વનો એવો પરચો છે કે અશક્ય લાગતું સાવ સરળ રીતે પતી જાય અને સાવ સરળ લાગતું બિલકુલ અશક્ય બની જાય..પણ..
પંચતત્વની આ શ્રુષ્ટિના એમની પરિવર્તિત શક્તિઓની ગતિ..ક્રિયાશીલતા, સમજાઈ જાય તો કશું અઘરું નથી રહેતું...બસ એને સમજવું જ અઘરું છે..એ ઉત્પન્ન કરનારી શક્તિઓ એનું સંચાલન પછી  નિર્વાણ થવાની ક્રિયાઓ સમજાઈ જાય તો  ઉપલબ્ધીનો મોક્ષ થઈ જાય.
જીવન મળ્યું.. જીવવું.. માણવું..આપણે ઉદાસ રહીને કે આનંદથી પસાર કરીએ..જે થવાનું છે એ થઈને રહેવાનું છે પછી શેનો શોક? 
પંચતત્વની શ્રુષ્ટિમાં પ્રથમ કોષનો જન્મ એ જળની વનસ્પતિ..માત્ર એક કોષીય જીવન..પછી વનસ્પતિનો વ્યાપ વધતો ગયો.  બીજા જીવને જન્મ આપતા પહેલાં શ્રુષ્ટિનાં રચયિતાએ એમનાં નિર્વાહની વ્યવસ્થા કરી..સર્વ જીવોનાં નિર્વાહ..નિર્વહન માટે પછી ખોરાક કે આશરો..માળો કે મકાન બધું વનસ્પતિનાં કારણે છે. આપણા ધર્મમાં એટલેજ વનસ્પતિને દેવી કહીએ છીએ.. એમનું સ્મરણ કરીએ છીએ. 
"નમાંમિ દેવી વનસ્પતયે" વિચારી જોજો વનસ્પતિ વિના કોઈનું પણ જીવન શક્ય છે? પછી એ લાકડું , ફૂલ ફળ, ધાન, ઔષધ, અત્તર, આવી અનેક વસ્તુઓ પુરી પાડે છે જેની નોંધ કરીએ તો કેટલાય પાના ભરાઈ જશે..એ જીવતા જાગતા સંત છે..એમણે જ આપણને સંસ્કાર શીખવ્યા એમનામાંથી પ્રેરણા લઈ આપણાં પૂર્વજોએ સંસ્કૃતિનું નિર્માણ કર્યું..આ બધું કેવી રીતે..આગળના ભાગમાં વાંચીશું...🌹🙏🌹
દક્ષેશ ઇનામદાર."દિલ"..