🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ 🙏🌹
પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ..
પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય ને આલ્હાદક હોય છે. પરંતુ....
વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે..
ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે..
ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકા પ્રયાણ કરે છે...
જયારે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને ખ્યાલ આવે છે કે સીતાજી કુટિરમાં નથી પછી એમની શોધ આરંભે છે..
પ્રભુ શ્રીરામ ઈશ્વરનાં અવતાર છે પણ મનુષ્યદેહ ધારણ કરેલ છે.. જીવનની વાસ્તવિકતાઓથી તેઓ પરે નથી.. એમનો સીતાજી માટેનો અપાર પ્રેમ.. વિરહની પીડા છતી થાય છે...
શ્રીરામજી સીતાજીની શોધમાં વન વન ફરે છે.. હે સીતે... હે સીતે બોલતા બોલતા શ્રુષ્ટિમાં સર્વને પૂછતાં પૂછતાં રખડી રહ્યાં છે.. વિરહની પીડાની આગમાં સળગી રહ્યાં છે.. આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. જે વિરહની સ્થિતિનું નિર્માણ થયું છે એ અસહ્ય બની છે તેઓ જંગલમાં પશુ પંખી બધાને પૂછી રહ્યાં છે તમે મારી સીતાને જોઈ? એ રાજકુંવરી ની ભાળ છે? વૃક્ષે વૃક્ષે ટહેલ નાંખી શોધી રહ્યાં છે વૃક્ષોનાં થડને વળગી આંસુ સારી પૂછે છે તમે મારી વૈદેહીને જોઈ? હે સીતે તમે ક્યાં છો? ધરતી ગળી ગઈ કે ગગનમાં અદ્રશ્ય થયાં હે સીતે.. હે સીતે કહેતાં વિલાપ કરી રહ્યાં છે..એમનાં કાળજાથી સીતાજીના વિરહમાં ચીખ નીકળી રહી હતી...
ઈશ્વર પણ પ્રેમવવિરહની પીડામાંથી બાકાત નથી વિરહનો વિષાદ એમને પણ ખાઈ રહ્યો છે...
પ્રેમ વિરહની શું વાત કરવી? જેમ પ્રેમની અનુભૂતિ અવૅરણીય છે એમ વિરહની આગ અત્યંત દઝાડનારી છે... શું વર્ણન કરવું?....
ભગવાન શિવજી માઁ સતી નાં વિયોગમાં એમનું મૃત શરીર હાથોમાં ઉંચકી બાહોમાં સમાવી આખાં બ્રહ્માંડમાં ફર્યા.. સતીના વિરહમાં આંખોમાંથી પીડાના અશ્રુ વહ્યાં..વિયોગ સહન ના કરી શક્યા ત્યારે આખું બ્રહ્માંડ માથે લીધું હતું. બધાં દેવો સાથે શ્રુષ્ટિ ડરી ગઈ હતી. વિરહની આગ ભભુકે ત્યારે કારણો ભસ્મ થવાં સર્જાય છે અને અત્યંત પીડાકરક વિરહ પછી... અણમોલ મિલનની ઘડી પણ અચૂક આવે છે..
પ્રણય ઈશ્વરનું સ્વરૂપ છે નાં એ મેલું થાય ના ભ્રષ્ટ એ પવિત્ર પ્રેમ ઝરણું સ્વર્ગથી ઉતરી આવ્યું છે. એમાં જે નાહ્ય ઓતપ્રોત થાય એ ઈશ્વરીય સ્વર્ગીય અનુભૂતિ કરે એમાં શંશય નથી.
વિરહ પ્રેમમાં પાત્રતા અને પવિત્રતા વધારે છે કારણકે એ પ્રણ્યાગ્નિમાં બળી સળગી પીડા સહી પાવન થાય છે.. ના માયા ના વાસના કે કોઈ ઈર્ષા સ્પર્શી શકે છે.. આવી પવિત્ર પાત્રતા ક્યાં શોધવી???.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.